• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ૧ કરોડથી વધુ કમાનારાની સંખ્યા ૫૦% વધી, ૨૦૨૨માં ૧ કરોડથી વધુ કમાનારા ૨.૬૯ લાખ લોકો થયા...

૧ કરોડથી વધુ કમાનારાની સંખ્યા ૫૦% વધી, ૨૦૨૨માં ૧ કરોડથી વધુ કમાનારા ૨.૬૯ લાખ લોકો થયા...

01:35 PM August 08, 2023 admin Share on WhatsApp



ભારતમાં અમીર લોકોની સંખ્‍યા ઝડપથી વધી રહી છે. આવકવેરા રિટર્ન ફાઇલિંગ ડેટાના રિપોર્ટ અનુસાર, ૨૦૨૨-૨૩માં એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારા લોકોની સંખ્‍યા ૨.૬૯ લાખ હતી. આ કોરોના સમયગાળા (૨૦૧૮-૧૯) પહેલા કરતા ૪૯.૪% વધુ છે. ચાર વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્‍યામાં લગભગ ૫૦%નો વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર, કોરોના સમયગાળા પછી એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારા કરદાતાઓની સંખ્‍યામાં ઉછાળો આવ્‍યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં એક કરોડ રૂપિયાથી વધુ કમાનારા લોકોની સંખ્‍યા ૧.૯૩ લાખ હતી, જયારે ૨૦૧૮-૧૯માં તે ૧.૮૦ લાખ હતી. ૨૦૧૯-૨૦ની સરખામણીમાં આવા કરદાતાઓની સંખ્‍યામાં ૪૧.૫ ટકાનો વધારો થયો છે. પાંચ લાખ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્‍યા માત્ર ૦.૬ ટકા વધુ છે. રિપોર્ટ અનુસાર, ૪.૬૫ કરોડ કરદાતાઓએ ૫ લાખ રૂપિયાથી ઓછી આવક દર્શાવી છે. એટલે કે શૂન્‍ય ટેક્‍સ ચૂકવ્‍યો.


આ પણ વાંચો : Gold Silver Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ...

આ પણ વાંચો : રૂ.10,000ની માસિક SIPથી 5 વર્ષમાં થયા 16 લાખ રૂપિયા, આ સ્મોલ કેપ ફંડ્સમાં લોકો કરી રહ્યા છે રોકાણ....

આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...


કંપનીઓ અને વ્‍યક્‍તિઓ કે જેમના માટે ઓડિટ જરૂરી છે, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્‍ટોબર છે. તે દંડ વિના ITR ફાઇલ કરી શકે છે. દેશમાં ટેક્‍સ રિટર્ન ફાઈલ કરનારાઓની કુલ સંખ્‍યા ઘણી ઓછી છે. જો કે અગાઉના વર્ષોની સરખામણીએ આ સંખ્‍યામાં વધારો થયો છે, પરંતુ હજુ પણ કુલ વસ્‍તીના માત્ર ૬ ટકા લોકો જ ટેક્‍સ ચૂકવે છે. ૫ લાખથી વધુની આવક ધરાવતા કરદાતાઓની સંખ્‍યામાં ૧.૪ ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીએ, ૫ લાખથી ૧૦ લાખ રૂપિયાના ટેક્‍સ બ્રેકેટમાં ૧.૧૦ કરોડ કરદાતા હતા.

આ વખતે રેકોર્ડ ૬.૭૭ કરોડથી વધુ આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવામાં આવ્‍યા હતા. ગયા વર્ષે ૩૧ જુલાઈ સુધી લગભગ ૫.૮૩ કરોડ ITR ફાઈલ કરવામાં આવ્‍યા હતા. આ વખતે ૫૩.૬૭ લાખ લોકોએ પ્રથમ વખત રિટર્ન ફાઈલ કર્યું હતું. સરકારે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવી નથી. જો કે, ૩૧ ડિસેમ્‍બર સુધી, ITR દંડ સાથે ભરી શકાય છે.

 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Business News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us